
જપ્ત થયેલ મિલકત મુકત કરવા વેચવા અને પાછી આપવા બાબત
"(૧) ઘોષિત વ્યકિત જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા સમયની અંદર હાજર થાય તો કોટૅ તે મિલકતને જપ્તીમાંથી મુકત કરવાનો હુકમ કરવો જોઇશે
(૨) ઘોષિત વ્યકિત જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા સમયની અંદર હાજર ન થાય તો જપ્તી હેઠળની મિલકતનો રાજય સરકાર પોતે ઇચ્છે તે રીતે નિકાલ કરી શકશે પરંતુ જપ્તીની તારીખથી છ મહિના પુરા ન થાય ત્યાં સુધી અને કલમ ૮૪ હેઠળ કરવામાં આવેલા કોઇ દાવાનો કે ઉઠાવવામાં આવેલા કોઇ વાંધાનો તે કલમ હેઠળ નિકાલ ન થાય ત્યાં સુધી તે મિલકતને વેચી શકાશે નહીં તેમ છતા જો તે મિલકત કુદરતી રીતે અને જલદી બગડી જાય એવી હોય અથવા કોટૅને એમ લાગે કે તેને વેચી નાખવી એ માલિકના હિતમાં થશે તો આ બેમાંથી કોઇ પ્રસંગે કોટૅને જયારે પણ યોગ્ય લાગે ત્યારે તે મિલકત વેચાવી શકશે
(૩) પેટા કલમ (૨) હેઠળ જેની મિલકત રાજય સરકારને હસ્તક હોય કે રહી હોય તે વ્યકિત જેના હુકમથી તે મિલકત જપ્તીમાં લેવાઇ હોય તે કોટૅ સમક્ષ અથવા તે કોટૅની ઉપલી કોટૅ સમક્ષ જપ્તીની તારીખથી બે વષૅની અંદર પોતાની મેળે હાજર થાય અથવા તેને પકડી લાવવામાં આવે અને તે કોટૅને ખાતરી થાય તે રીતે તે સાબિત કરે કે પોતે વોરંટની બજવણી થતી ટાળવાના હેતુથી ફરાર થયેલ કે સંતાતી ફરતી ન હતી અને જાહેરનામામા નિર્દિષ્ટ કરેલા સમયની અંદર પોતે હાજર થઇ શકે એવી તે જાહેરનામાની તેને જાણ ન થયેલ હોય તો તે મિલકત અથવા જો તે વેચી નાખી હોય તો વેચાણની ચોખ્ખી ઉપર અથવા ફકત તેનો કોઇ ભાગ વેચ્યો હોય તો તે ભાગના વેચાણી ચોખ્ખી ઊપજ અને મિલકતનો બાકી રહેલો ભાગ તેમાંથી જપ્તીના પરિણામે થયેલો તમામ ખચૅ વસુલ કરીને તે વ્યકિતને સોપી દેવી જોઇશે"
Copyright©2023 - HelpLaw